Post Covid Version -ડૉ હંસલ ભચેચની વાર્તાલાપ શ્રેણી

એક વાત તો નક્કી છે કે લોકડાઉન અને કોવિડ પછી આપણે પહેલા જેવા નથી રહેવાના, ધીરે ધીરે આપણામાં ‘ન્યુ-નોર્મલ’ આકાર લઇ રહ્યું છે, બદલાવ આવી રહ્યો છે. સતત બદલાતી રહેતી દુનિયામાં આજે સમય એક મોટો બદલાવ લઈને આવ્યો છે, એમ કહોને કે માનવજાત માટે ‘અપગ્રેડ’ આવ્યું છે અને આપણે સૌએ આપણી જાતને અપડેટ કરવાની છે આપણા પોસ્ટ-કોવીડ વર્ઝનમાં… આપણા રોજિંદા જીવનમાં આવી રહેલા આ બદલાવોને સમાવવા માટે આપણે બદલાવાનું છે. આપણે જુદી જ સમજણ અને સંભાળ સાથે આપણી જાતને રિ-લોન્ચ કરવાની છે…